કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા Social Security માટેની ઘણી બધી સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. વિકલાંગ કલ્યાણ યોજનાઓ, દિવ્યાંગ સહાય યોજનાઓ, વિધવા પેન્શન યોજના, https://www.sarkariyojanaguj.com/niradhar-vrudh-sahay-yojana/વૃધ્ધ સહાય યોજનાઓ વગેરે ચલાવવામાં આવે છે. સરકારી યોજનાઓનો લાભ લઈને સમાજના નિરાધાર વૃધ્ધો, દિવ્યાંગો અને વિધવા લાભાર્થીઓ સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે.
સંત સુરદાસ યોજના
સામાજિક સુરક્ષા માંગતા આવા લાભાર્થીઓને સરળતાથી લાભ મળે તે માટે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે. ગુજરાત સરકારની Sarkari Yojana માટે વિવિધ વિભાગો દ્વારા ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવ્યા છે, જેમ કે e Samajkalyan, Digital Gujarat Portal, NSAP Portal વગેરે બનાવવામાં આવ્યા છે. જેમાં e samaj દ્વારા Divyang Lagna Sahay, Palak Mata Pita Yojana, Niradhar Vrudh Sahay Yojana તથા Sant Surdas Yojana વગેરે 58 થી વધુ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.
સંત સુરદાસ યોજના – હાઇલાઇટસ
યોજનાનું નામ | સંત સુરદાસ યોજના |
ઉદ્દેશ | દિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સમાજમાં પુન:સ્થાપન થાય |
લાભાર્થી | દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને |
સહાયની રકમ – 1 | દિવ્યાંગ લાભાર્થીઓને માસિક રૂપિયા 600 (છસ્સો રૂપિયા) પેન્શન |
સંત સુરદાસ યોજનાનો હેતુ
Social Justice And Empowerment Department Gujarat- SJED દ્વારા તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને આર્થિક સહાય આપવા માટે, દિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સમાજમાં પુન:સ્થાપન થાય તે હેતુથી સંત સુરદાસ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.
સહાયની રકમ
આ યોજના હેઠળ દિવ્યાંગ લાભાર્થીઓને માસિક રૂપિયા 600 (છસ્સો રૂપિયા) પેન્શન આપવામાં આવે છે. આ સહાય લાભાર્થીના બેંક એકાઉન્ટમાં DBT (ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર ) દ્વારા જમા કરવામાં આવે છે.
સંત સુરદાસ યોજનાની પાત્રતા
- 80 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવનાર વ્યક્તિને આ યોજનાનો લાભ મળે.
- 0 થી 17 વર્ષ સુધીના દિવ્યાંગ વ્યક્તિને લાભ મળવાપાત્ર છે
- ગ્રામ્ય વિસ્તારમાં BPL યાદીમાં 0 થી 20 નો સ્કોર ધરાવનારને લાભ મળવાપાત્ર છે.
- શહેરી વિસ્તારમાં ગરીબી રેખા હેઠળ જીવતા ગુજરાતની દિવ્યાંગ વ્યક્તિઓને મળવાપાત્ર છે.
અરજી કઈ રીતે કરવી
Gujarat Yojana માટે નાગરિકોને સરકારી કચેરી વારંવાર ન જવું પડે તેવા હેતુથી Online Form ભરવાની સેવા ઉભી કરવામાં આવે છે. Application for financial assistance for disabled under Sant Surdas Yojna નો લાભ લેવા માટે Samaj Kalyan Portal પરથી ઓનલાઈન અરજી કરી શકાશે. જે માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે.
- સૌપ્રથમ Google Search Bar માં જઈને ‘e samaj kalyan portal’ ટાઈપ કરવું.
- જેમાં ઈ સમાજ કલ્યાણની ઓનલાઈન અરજી માટેની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ ખોલવાની રહેશે.
- ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર નવા User હોય તો “New User? Please Register Here” જઈને Register ની પ્રક્રિયા કરવાની રહેશે.
- સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ e samaj kalyan Citizen Login” પર Click કરીને લાભાર્થીએ પોતાનું વ્યકિતગત પેજ ખોલવાનું રહેશે.
- લાભાર્થી દ્વારા જે પ્રમાણે પોતાની જ્ઞાતિ રજીસ્ટ્રેશન વખતે બતાવી હશે તે મુજબ યોજનાઓ બતાવતી હશે.
- જેમાં Sant Surdas Yojana Online Form પર જઈને પોતાની માહિતી ભરીને અરજી સબમીટ કરવાની રહેશે.
મહત્વપૂર્ણ લીંક
સત્તાવાર સાઈટ | Click Here |
HomePage | Click Here |