ભારત સરકાર અને ગુજરાત સરકાર બાળ સુરક્ષા સુનિશ્વિત કરવા માટે પ્રતિબધ્ધ છે. રાજ્યમાં નિરાધાર, અનાથ, તરછોડાયેલા, કુટુંબ વિહોણા અથવા કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં મૂકાયેલા બાળકો રક્ષણ માટે સરકાર દ્વારા ઘણી બધી ‘સરકારી યોજનાઓ’ ચાલે છે. જ્યારે બાળકના માતા-પિતા મૃત્યુ પામે, બાળકના અધિકારોનું હનન થાય, શારીરિક અને માનસિક અત્યાચાર કે અન્ય કોઈપણ રીતે શોષણ થતું હોય ત્યારે બાળક ચિલ્ડ્રન હોમમાં રહી શકે છે. બાળક ચિલ્ડ્રન હોમમાં રહીને મફત શિક્ષણ મેળવી શકે છે.
પાલક માતા પિતા યોજના
ગુજરાત રાજ્યમાં અનાથ, નિરાધાર બાળકો માટે ઘણી સરકારી યોજનાઓ ચાલે છે. Social Justice & Empowerment Department (Government Of Gujarat) હેઠળ નિયામક સમાજ સુરક્ષા ખાતા દ્વારા અનાથ બાળકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેના દ્વારા “અનાથ બાળકો માટે પાલક માતા- પિતા યોજના” અમલીકૃત કરવામાં આવેલ છે. અનાથ બાળકોને માસિક રૂ. ૩૦૦૦ની સહાય એમના ખાતામાં DBT મારફતે ચૂકવાય છે.
પાલક માતા પિતા યોજના – હાઈલાઈટ્સ
યોજનાનું નામ | પાલક માતા પિતા યોજના |
મળવાપાત્ર સહાય | માસિક રૂ. 3000/- |
લાભાર્થી | અનાથ બાળકો |
ઉમર મર્યાદા | 01 થી 18 વર્ષ |
આ પણ વાંચો : મુખ્યમંત્રી બાળ સેવા યોજના : આ યોજના અંતર્ગત અનાથ બાળકોને દર મહિને રૂ. 4000 ની મળશે સહાય |
પાલક માતા પિતા યોજનાની પાત્રતા
- ગુજરાતમાં વસતા 0 થી 18 વર્ષના તમામ અનાથ બાળકો
- જેમના માતા-પિતા બન્ને હયાત નથી તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે.
- જો પિતાનું અવસાન થવાથી માતાએ પુન:લગ્ન કરેલા હોય તેવા નિરાધાર અનાથ બાળકોની સાર-સંભાળ નજીકના સગાં-સંબંધિઓ કરતા હોય તેવા બાળકોને “Palak Mata Pita Yojana” લાભ મળશે.
મળવાપાત્ર સહાય
Palak Mata Pita Yojana Online અરજી કર્યા બાદ “અનાથ બાળકોને માસિક રૂ. 3000/- સહાય મળે છે. જે બાળકોની સંભાળ રાખતા નજીકના સગાઓને DBT (Direct Benefit Transfer) દ્વારા ચૂકવાય છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખૂબ સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો. કોરોના સંક્રમણને કારણે માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા અનાથ બાળકને પણ મહિને 3000 હજારની સહાય ચૂકવાશે. આ અનાથ બાળકને 18 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે.
આવશ્યક દસ્તાવેજ
જિલ્લા બાળ સુરક્ષા તથા જિલ્લા સમાજ સુરક્ષા દ્વારા ચાલતી આ યોજના માટે નિયમો અને ડોક્યુમેન્ટ નક્કી થયેલા છે. Palak Mata Pita Yojana Gujarat Document નીચે મુજબ નક્કી થયેલા છે.
- બાળકનો જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C) માથી કોઈ પણ એક
- બાળકના માતા-પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ બિડવાનું રહેશે.
- જો બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ હોય તે અંગેનું સોગંદનામું/ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈપણ એક દસ્તાવેજ
- માતાએ પુન:લગ્ન કરેલાનો પુરાવો
- આવકના દાખલાની નકલ (Income Certificate)
- બાળક શિષ્યવૃતિનું બેંક એકાઉન્ટની પાસબુક
- બાળક અને પાલક માતા-પિતાના સંયુક્ત બેંક ખાતાની પાસબુકની પ્રમાણિત નકલ
- બાળકના આધારકાર્ડની નકલ
- પાલક માતા-પિતાના રેશનકાર્ડની નકલ
- બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેના પ્રમાણપત્રની નકલ
- પાલક માતા-પિતાના આધારકાર્ડની નકલ
અરજી કઈ રીતે કરવી
નિયામક સમાજ સુરક્ષા દ્વારા આ યોજના અનાથ બાળકો માટે ચલાવવામાં આવે છે. આ યોજના દ્વારા અનાથ બાળકોને દર મહિને એમના ખાતામાં સીધી સહાય આપવામાં આવે છે. આ યોજનાની ઓનલાઇન અરજી e samaj kalyan portal કરવાની હોય છે. પાલક માતા-પિતા યોજનાની ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.
- સૌપ્રથમ Google Search ખોલવું. તેમાં e Samaj Kakyan Portal ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ ખુલશે.
- હવે esamaj kalyan નું Home Page ખુલશે.
- ત્યારબાદ Home Page પર “Director Social Defense” પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં નંબર-2 પર “પાલક માતા-પિતા યોજના” પર ક્લિક કરીને સંપૂર્ણ માહિતી વાંચી લેવાની રહેશે.
- ઈ-સમાજ કલ્યાણ પર જો user ન બનાવેલ હોય તો “Please Register Here!” ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ citizen login બન્યા બાદ User Id, Password અને Captcha Code નાખીને Login કરવાનું રહેશે.
- લોગીન કર્યા બાદ એમાં “નિયામક સમાજ સુરક્ષા” ટેબલમાં આપેલા “Palak Mata-Pita Yojana” પર ક્લિક કરો.
- જેમાં વ્યક્તિગત માહિતી, બાળકની માહિતી, બાળકના સગાં ભાઈ બહેનની માહિતી વગેરે ભરવાની રહેશે.
- ત્યારબાદ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- ત્યારબાદ એકરાર ફોર્મ ભરીને અરજીને સેવ અને confirm કરવાની રહેશે.
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર સાઇટ | Click Here |
HomePage | Click Here |
1 thought on “પાલક માતા પિતા યોજના : આ યોજના અંતર્ગત બાળકોને રૂ. 3000 સુધીની મળશે સહાય”