માનવ ગરિમા યોજના: હવે ધંધો શરુ કરવા માટે રૂ. 25 હજારની આપવામાં આવશે સહાય

ગુજરાત રાજ્યમાં અલગ-અલગ વિભાગો દ્વારા દર વર્ષે યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. કૃષિ, સહકાર અને કલ્યાણ વિભાગદ્વારા Ikhedut Portal પર, કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા E-Kutir Portal પર તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા E-Samaj kalyan Portal પર ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. પ્રિય વાંચકો, આજે આપણે Social Justice And Empowerment Department Gujaratની માનવ ગરિમા યોજના 2022 વિશે વિગતવાર માહિતી મેળવીશું.

માનવ ગરિમા યોજના

\ઈ સમાજ કલ્યાણ વિભાગ પોર્ટલ પર જુદા-જુદા વિભાગોની ઓનલાઈન અરજીઓ થાય છે. E Samaj kalyan Portal Yojana List 2022 માં તમે અલગ-અલગ યોજનાઓની વિગતવાર માહિતી મેળવી શકો છો. સમાજના નબળાં વર્ગોને નવો વ્યવસાય ચાલુ કરવા માટે સામાજિક યોજનાઓ ચાલે છે. ઈ-કુટીર વિભાગ દ્વારા જેમ માનવ કલ્યાણ યોજના ચાલે છે. તેવી જ રીતે Manav garima yojana 2022 સમાજના લોકોને ધંધા-રોજગારના સાધનો આપવામાં આવે છે.

માનવ ગરિમા યોજના – હાઇલાઇટસ

યોજનાનું નામ માનવ ગરિમા યોજના
વિભાગનું નામ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
લાભાર્થીની પાત્રતા વ્યવ્સાયની આવડત ધરાવતા અને આવક
મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ
મળવાપાત્ર સહાય લાભાર્થીઓના રસ અને આવડતને અનુરૂપ ધંધા માટે સાધન સહાય
અરજી પ્રક્રીયા ઓનલાઈન

માનવ ગરિમા યોજનાનો હેતુ

સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના નાગરિકોને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે આ યોજના થકી સાધન સહાય આપવામાં આવે છે. વધારાના ઓજારો અને સાધનો આપવામાં આવે છે. આ યોજના થકિ ગરીબી રેખાની નીચેની(BPL) જીવતી વ્યક્તિઓ અને કારિગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે થઈ હતી.

આ પણ વાંચો : RMC ભરતી 2023: MPHWની જગ્યાઓ પર ભરતીની જાહેરાત

કોને સહાય મળવાપાત્ર છે ?

  • આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી દરમિયાન જરૂરી ડોક્યુમેન્‍ટ અપલોડ કરવાના રહેશે. અધુરી અરજી દફત્રે કરવામાં આવશે.
  • અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહી અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અગાઉના વર્ષોમાં લાભાર્થી કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય ખાતા, એજન્‍સી કે સંસ્થામાંથી આ પ્રકારની સહાય મેળવેલ ન હોવી જોઈએ.
  • આ યોજનાનો લાભ કુંટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને, ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે.

આવશ્યક દસ્તાવેજ

  • લાભાર્થીનું આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળીબિલ/લાઇસન્સ/ચૂંટણીકાર્ડ પૈકી કોઈ એક)
  • અરજદારની જાતિનો દાખલો
  • લાભાર્થીનો વાર્ષિક આવકનો દાખલો
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • અનુભવ અંગેનું પ્રમાણપત્ર
  • સ્વ-ઘોષણાપત્ર
  • બાંહેધરી પત્રક
  • અરજદારના ફોટો

માનવ ગરિમા યોજના ટૂલ કીટ યાદી

માનવ ગરિમા યોજના હેઠળ અલગ અલગ સાધનો સહાય સ્વરૂપે આપવામાં આવે છે. વ્યક્તિના રસ અને આવડતને અનુકૂળ Tool Kit આપવામાં આવે છે. લાભાર્થીઓને કુલ–૨૮ પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલકિટ્સ આપવામાં આવે છે.

  • કડિયા કામ
  • સેન્‍ટીંગ કામ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • મોચીકામ
  • દરજીકામ
  • ભરતકામ
  • કુંભારીકામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
  • ખેતીલક્ષી લુહારી/ વેલ્ડીંગ કામ
  • સુથારી કામ
  • ધોબી કામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • દૂધ-દહી વેચનાર માટેની ટૂલકીટ
  • માછલી વેચનાર માટેની ટૂલકીટ
  • પાપડ બનાવટના સાધનો
  • અથાણા બનાવટ માટે સાધન
  • ઠંડા પીણા,ગરમ,વેચાણ
  • પંચર કીટ
  • ફ્લોર મીલ
  • મસાલા મીલ
  • રૂ ની દિવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
  • મોબાઇલ રિપેરીંગ માટેની કીટ
  • પેપર કપ અને ડીશ બનાવટ માટે સાધન સહાય (સખીમંડળ)
  • હેર કટીંગ (વાળંદ કામ)
  • રસોઈકામ માટે પ્રેશર કુકર(રદ કરેલ છે.
આ પણ વાંચો : GTU ભરતી 2023: વિભાગ અધિકારી, વહીવટી મદદનીશ અને સિનિયર કોમ્પ્યુટર પ્રોગ્રામરની પોસ્ટ પર ભરતીની જાહેરાત

અરજી કઈ રીતે કરવી

માનવ ગરિમા યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેની અરજી E Samaj Kalyan Portal Online Registration કરવાનું હોય છે. અરજદારોઓએ ઘરે બેઠા પણ એપ્લિકેશન કરી શકે છે. નીચે આપેલા સ્ટેપ્સને અનુસરીને તમે સફળતાપૂર્વક ઓનલાઇન એપ્લિકેશન કરી શકો છો.

  • સૌપ્રથમ Google Search ખોલવાનું રહેશે. તેમાં “E Samaj Kalyan Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • સમાજ કલ્યાણ વિભાગની અધિકૃત વેબસાઈટ ખુલશે.
  • જેમાં તમે અગાઉ કોઈપણ User Id બનાવેલ ન હોય તો “New User? Please Register Here!” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે User Registration Detail માં તમામ વિગતો ભર્યા બાદ “Register” પર ક્લિક કરવાનું રહેશે.
  • User Id બનાવ્યા બાદ Citizen Login માં તમારી User Id અને Password દ્વારા પર્સનલ પેજ ખોલવાનું રહેશે.
  • લાભાર્થીઓએ પોતાની જાતિ મુજબની યોજનાઓ બતાવશે. જેમાંથી માનવ ગરિમા યોજના પસંદ કરવાની રહેશે.
  • Manav Garima Yojana Online Form માં માંગ્યા મુજબની તમામ વ્યક્તિગત માહિતી ભરીને Save કરીને આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • Online Apploction માં હવે તમારા તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • તમામ સ્ટેપમાં માહિતી ભર્યા બાદ Confirm Application પર ક્લિક કરવાની રહેશે.
  • છેલ્લે, અરજી કન્ફર્મ થયા બાદ Manav Garima Yojana Online Print કાઢવાની રહેશે.

મહત્વપૂર્ણ લીંક

HomePage Click Here

1 thought on “માનવ ગરિમા યોજના: હવે ધંધો શરુ કરવા માટે રૂ. 25 હજારની આપવામાં આવશે સહાય”

Leave a Comment