કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ખેડૂતો ખેતીમાં અવનવી પદ્ધતિ અપનાવીને પાક ઉત્પાદન વધારી તે માટે સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવે છે. જેના માટે iKhedut Portal બનાવવામાં આવે છે. આ પોર્ટલ પર ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના વગેરે ચલાવવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા ખેતીવાડી વિભાગની કિસાન પરિવહન યોજના વિશે વાત કરીશું. Kisan Parivahan Yojana નો લાભ લેવા માટેની શું-શું પાત્રતા છે, અને લાભ કેવી રીતે મેળવી શકાય તેની માહિતી મેળવીશું.
કિસાન પરિવહન યોજના
ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે નવી-નવી ખેડૂતલક્ષી યોજનાઓ અમલીકરણ કરે છે. જે ઉદ્દેશને સિદ્ધ કરવા માટે ગુજરાત સરકાર ખેડૂત યોજના ઓ દર વર્ષે બહાર પડે છે. ખેડૂતો દ્વારા ખેતરમાં ઉત્પન્ન થતાં પાકના પરિવહન માટે ટ્રેકટરનો ઉપયોગ કરે છે. ઘણા ખેડૂતોની ઓછી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને Goods Carriage Vehicle નો પણ ઉપયોગ કરીને ખેત બજારોમાં મોકલતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને ખેતપેદાશોને સરળતાથી APMC પહોંચાડી શકે અને ખેડૂતો ગુડ્ઝ કેરેજ વાહન ખરીદી શકે તે માટે કિસાન પરિવહન યોજના 2022 બહાર પાડેલ છે.
આ પણ વાંચો : માનવ કલ્યાણ યોજના : આ યોજના અંતર્ગત નવો ધંધા અને વ્યવસાય ચાલુ કરવા માટે સાધનની સહાય આપવામાં આવશે |
કિસાન પરિવહન યોજના – હાઇલાઇટસ
યોજનાનું નામ | કિસાન પરિવહન યોજના |
યોજનાનો ઉદ્દેશ | ખેડૂતો દ્વારા ઉત્પન્ન થયેલો પાક ખેત બજારો સુધી લઈ જવા માલ વાહન ખરીદી પર સબસીડી |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતોને |
સબસીડી નંબર-1 | નાના,સીમાંત,મહિલા,SC/ST ખેડૂતોને કુલ ખર્ચના 35 % અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. |
સબસીડી નંબર-2 | સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25 % અથવા 50,000/- બે માંથી જે ઓછું હોય તે |
કિસાન પરિવહન યોજનાનો હેતુ
ખેડૂતો દ્વારા ઉત્પાદન થયેલા પાકને નજીકના બજારો સુધી પાક ઉત્પાદન પહોંચાડવામાં તકલીફ ન રહે તે માટે સાધન સહાય આપવામાં આવે છે. ખેડૂતોને કિસાન પરિવહન યોજના હેઠળ માલ વાહક સાધનની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. Kisan Parivahan Yojana Gujarat 2022 ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે.
કિસાન પરિવહન યોજનાની પાત્રતા
- ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
- નાના, સિમાંત, મહિલા, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ,સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાઓને લાભ મળશે.
- લાભાર્થી ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂત વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોય તો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
- લાભાર્થી ખેડૂતોઓએ કિસાન પરિવહન યોજનાનો પુનઃ લાભ મેળવવા માટે ઓછામાં ઓછી 5 વર્ષની સમય મર્યાદા અરજી કરી શકે.
- ખેડૂત લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા I khedut portal પરથી Online Arji કરવાની હોય છે.
કિસાન પરિવહન યોજનાની સાધન ખરીદીની શરતો
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ikhedut portal Parivahan માટે ખરીદી માટેની શરતો નક્કી થયેલ છે. ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે.
- આઈ ખેડૂત પોર્ટલ દ્વારા નક્કી એમ્પેનલ કરેલ તથા જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પાસેથી ખરીદી કરવાની રહેશે.
- આ યોજના માટે પેનલમાં સમાવેશ થયેલ ઉત્પાદકના માન્ય વેપારી(વિક્રેતા) પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે.
- ખેડૂત આ સહાય મેળવવા માટે પાકું લાઈસન્સ ધરાવતો હોવો જોઈએ.
કિસાન પરિવહન યોજના માટે જરૂરી દસ્તાવેજ
આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી Kisan Parivahan Yojana નો લાભ લેવા માટે ઓનલાઇન એપ્લાય કરવાનું હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈએ.
- ikhedut Portal 7-12 (Anyror Gujarat 7/12 પરથી ડાઉનલોડ કરી શકાય)
- લાભાર્થીના આધારકાર્ડની નકલ (આધારકાર્ડ ડાઉનલોડ કરો.)
- જો ખેડૂત એસ.સી જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- જો ખેડૂત એસ.ટી જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- રેશનકાર્ડની નકલ
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- ટ્રાઈબલ વિસ્તારના લાભાર્થીઓ માટે વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- લાઈસન્સ
અરજી કઈ રીતે કરવી
Kisan Parivahan Yojana Gujarat હેઠળ લાભ લેવા માટે ખેડૂતોએ ikhedut Portal પરથી Kisan Registration કરવાનું રહેશે છે. ખેડૂતોએ લાભાર્થી ઓનલાઈન એપ્લિકેશન ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા પોતાની ગ્રામ પંચાયત ખાતેથી VCE મારફતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે. કિસાન પરિવહન યોજનાની ઓનલાઈન અરજી કેવી કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google Search માં “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Google Search માં જે પરિણામ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- આઈ ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- યોજના પર ક્લિક કર્યા બાદ ક્રમ નંબર-1 પર “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
- “Khetivadi ni yojana” ખોલ્યા બાદ જ્યાં સરકારી અન્ય યોજના, ખેડૂત યોજના બતાવશે.
- જેમાં “કિસાન પરિવહન યોજના” માં “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
- ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
- જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ ikhedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતે માલ વાહક વાહન યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
- લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
મહત્વપૂર્ણ લીંક
HomePage | Click Here |
1 thought on “કિસાન પરિવહન યોજના : આ યોજના અંતર્ગત ખેડૂતોને કુલ ખર્ચના 35 % અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તેનો લાભ મળશે”