પ્રિય વાંચકો..! રોટી, કપડા અને મકાન આ જીવન જરૂરી વસ્તુઓ છે. જે દરેક પાસે હોવું જોઈએ. પરંતુ ભારત જેવા વિકાસશીલ દેશમાં ઘણા નાગરિકો ઘરવિહોણા હોય છે. આવા ઘરવિહોણા લોકો માટે સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ડો.આંબેડકર આવાસ યોજના વગેરે. આ યોજનાઓ દ્વારા ઘરવિહોણા નાગરિકોને આવાસ આપવામાં આવે છે.
ડૉ.આંબેડકર આવાસ યોજના
નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી,ગાંધીનગર દ્વારા ડૉ. આંબેડકર આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ અનુસૂચિત જાતિના નાગરિકોને મકાન સહાય આપવામાં આવે છે. Ambedkar Awas Yojana ની ઓનલાઈન અરજી e samaj kalyan portal પરથી કરવાની હોય છે.
ડૉ.આંબેડકર આવાસ યોજના – હાઈલાઈટ્સ
યોજના | ડૉ.આંબેડકર આવાસ યોજના |
યોજના મુખ્ય ઉદ્દેશ | અનુસૂચિત જાતિ (SC) જ્ઞાતિના ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને આવાસ પૂરું પાડવું. |
લાભાર્થી | ગુજરાતના અનુસુચિત જાતિ (SC) જ્ઞાતિઓ નાગરિકોને |
મળવાપાત્ર લોન | આંબેડકર આવાસ યોજના હેઠળ કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામા આવે છે. તથા અન્ય બે યોજનાના લાભ પણ મળે છે. |
ડૉ.આંબેડકર આવાસ યોજનાનો હેતુ
નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ હેઠળ અનુસૂચિત જાતિના ઇસમોને આપવામાં આવે છે. અનુસૂચિત જાતિ (SC) જ્ઞાતિના ઘરવિહોણા,ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને Awas Yojana આપવામાં આવે છે. આ યોજના હેઠળ મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે.
ડૉ.આંબેડકર આવાસ યોજનાનો લાભ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આંબેડકર આવાસ યોજનાઓ લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામા આવે છે.
- જેના લાભાર્થીને પ્રથમ હપ્તામાં 40,000/- સહાય આપવામાં આવે છે.
- બીજા હપ્તા પેટે 60,000/- લાભ મળવાપાત્ર થાય છે.
- ત્રીજા હપ્તા પેટે 20,000/- મળવાપાત્ર થાય છે.
- ડૉ.આંબેડકર આવાસ સહાય સિવાય લાભાર્થી મહાત્મા ગાંધી નરેગા(MGNREGA) નો લાભ પણ મેળવી શકે છે.
- લાભાર્થીએ MGNREGA હેઠળ આવાસ બાંધકામ માટે 90 દિવસની બિનકુશળ રોજગારી મેળવી શકે છે. જેમાં કુલ- રૂપિયા 17910/- ની સહાય તાલુકા પંચાયત નરેગા બ્રાન્ચ તરફથી મેળવી શકે છે.
- સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ શૌચાલય માટે કુલ રૂપિયા 12,000/- ની સહાય આંબેડકર આવસ યોજનાના લાભાર્થીઓ મેળવી શકાશે.
- શૌચાલય યોજનાનો લાભ મેળવવા માટે ગ્રામ્ય વિસ્તારના નાગરિકો લોકોઓએ તાલુકા પંચાયતની તથા શહેરી વિસ્તારમાં નગરપાલિકા/મહાનગરપાલિકા તરફથી મેળવી શકશે.
આવશ્યક દસ્તાવેજ
- લાભાર્થીનું આધાર કાર્ડ
- લાભાર્થીનું રેશનકાર્ડ
- લાભાર્થીની જાતિનો દાખલો
- કુટુંબની વાર્ષિક આવકનો દાખલો
- લાભાર્થીના રહેઠાણનો પુરાવો (જેમાં વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક પુરાવો)
- જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/હકપત્રક (જે લાગુ પડતુ હોય તે )
- લાભાર્થીના બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
- પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીનના ક્ષેત્રફળ દર્શાવતો નકશો
- ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી
- ચૂંટણી ઓળખપત્ર
- લાભાર્થીના મકાન બાંધકામ ચિઠ્ઠી
- અગાઉ કોઈપણ આવાસ યોજનાનો લાભ લીધો નથી તે અંગેનું સોગંધનામું
અરજી કઈ રીતે કરવી
SJE Gujarat દ્વારા e Samaj Kalyan Portal બનાવવામાં આવેલ છે. આ યોજનાનો લાભ મેળવવા માટે Online Application કરવાની રહેશે. આંબેડકર આવાસ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.
- સૌપ્રથમ Google Search ખોલીને તેમાં e samaj kalyan portal ટાઈપ કરવાનું રહેશે.
- હવે ઈ સમાજ કલ્યાણ પોર્ટલની Official Website ખોલવાની રહેશે.
- જેમાં “Director Scheduled Caste Welfare” પેજ પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં નંબર-2 Dr Ambedkar Avas Yojana પર ક્લિક કરવાનું રહેશે.
- જો તમે e samaj kalyan registration ન કરેલું હોય તો “New User? Please Register Here પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં તમારે નામ, જાયી, મોબાઈલ નંબર, પાસવર્ડ તથા Captcha Code નાખીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે.
- નવું એકાઉન્ટ બનાવ્યા બાદ Citizen Login પર ક્લિક કરવાનું રહેશે.જેમાં User Id, Password અને Captcha Code ના આધારે લોગીન કરવાનું રહેશે.
- Citizen Login માં ડૉ.આંબેડકર આવસ યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ એમાં પોતાની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર સાઇટ | Click Here |
HomePage | Click Here |
1 thought on “ડૉ.આંબેડકર આવાસ યોજના : આ યોજના અંતર્ગત મકાન બાંધવા માટે રૂ. 1,20,000 ની મળશે સહાય”